સુપુત્ર મોહન પરીખ અચ્છા ફોટોગ્રાફર પણ હતા. અમારી પદયાત્રા કીમ પાસેના પીપોદરા ગામેથી નીકળી ત્યારે એમણે અમારા ફોટા લીધા હતા. એક યાદગાર ફોટો આજે પણ વેડછી આશ્રમમાં પુજ્ય જુગતરામભાઈના સ્મારકતીર્થમાં જોવા મળે છે. બરાબર યાદ છે, આગલી રાતે જુગતરામકાકા બીજા દીવસે સવારે નાસ્તો મળે તેની ચોકસાઈ કરી લેતા અને અંગ્રેજી છાપું અચુક વાંચી લેતા. મહારાજ મળસ્કે ચારેક વાગ્યે જાગી જતા; પરન્તુ પથારીમાં બેસીને ફાનસને અજવાળે ગીતાપાઠ કાયમ કરતા.
સુપુત્ર મોહન પરીખ અચ્છા ફોટોગ્રાફર પણ હતા. અમારી પદયાત્રા કીમ પાસેના પીપોદરા ગામેથી નીકળી ત્યારે એમણે અમારા ફોટા લીધા હતા. એક યાદગાર ફોટો આજે પણ વેડછી આશ્રમમાં પુજ્ય જુગતરામભાઈના સ્મારકતીર્થમાં જોવા મળે છે. બરાબર યાદ છે, આગલી રાતે જુગતરામકાકા બીજા દીવસે સવારે નાસ્તો મળે તેની ચોકસાઈ કરી લેતા અને અંગ્રેજી છાપું અચુક વાંચી લેતા. મહારાજ મળસ્કે ચારેક વાગ્યે જાગી જતા; પરન્તુ પથારીમાં બેસીને ફાનસને અજવાળે ગીતાપાઠ કાયમ કરતા.